Manav Kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના, ઓનલાઇન ફોર્મ ભરો

Manav Kalyan Yojana 2023:  શું તમે માનવ કલ્યાણ યોજના શોધી રહ્યા છો? નવી યોજના માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતનાં તમામ લોકો જેની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂા. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂા. ૧,૫૦,૦૦૦/- સુધીની હોય તેવા લોકોને વ્યવસાય માટે ટ્રેડ વાઇઝ સાધન/ઓજા૨ના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અરજદારોએ https://e-kutir.gujarat.gov.in ૫૨ તા. ૧-૦૪-૨૦૨૩ થી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

માનવ કલ્યાણ યોજના લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કેટલી સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

Manav Kalyan Yojana 2023

યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના 2023
નાણાંકીય સહાય તા:૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં
વેબસાઈટ e-kutir.gujarat.gov.in
હેઠળ ગુજરાત રાજ્ય સરકાર
ઊંમર મર્યાદા ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ
વિભાગનું નામ કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ

માનવ કલ્યાણ યોજના 2023

આમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવી ૨૮ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષીક આવક ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ.૧૨૦૦૦૦/- અને (Manav Kalyan Yojana 2023) શહેરી વિસ્‍તાર માટે રૂ.૧૫૦૦૦૦/- સુધી ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્‍યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય તા:૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં આપવામાં આવે છે.

માનવ કલ્યાણ યોજના યોજનાની પાત્રતા

  • ઉંમર:- ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ.
  • ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.

માનવ કલ્યાણ યોજના વિષે ટૂંકમાં માહિતી

માનવ કલ્યાણ યોજના ગુજરાત સરકાર દ્વારા 11 સપ્ટેમ્બર 1995 ના રોજ પછાત અને ગરીબ સમુદાય માટે જાહેર કરવામાં આવી હતી . આ યોજના 2023 માં અદ્યતન સ્વરૂપમાં જાહેર કરવામાં આવી છે.

આ યોજના હેઠળ, પછાત જાતિના કારીગરો, મજૂરો, નાના વિક્રેતાઓ વગેરે જેમની કમાણી ગ્રામીણ વિસ્તારોમાં રૂ. 12,000 અને શહેરી વિસ્તારોમાં રૂ. 15,000 સુધી છે. તેમને સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવશે.

આ ઉપરાંત રાજ્યના ઓછી આવક ધરાવતા નાગરિકોને વધારાના સાધનો અને સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 28 પ્રકારની નોકરી કરનારાઓને સરકાર દ્વારા મદદ કરવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય આર્થિક સ્થિતિ સાથે સંઘર્ષ કરી રહેલા કારીગરો, મજૂરો અને નાના વેપારીઓની આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો અને તેમને સ્વરોજગારીની તકો પૂરી પાડવાનો છે.

આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાતના નાગરિકો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. આ યોજના રાજ્ય દ્વારા ચલાવવામાં આવતી માનવ ગરિમા યોજના જેવી છે, જેનો નાગરિકોને ઘણો ફાયદો થઈ રહ્યો છે.

માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

manav-kalyan-yojana-e-kutir-gujarat
manav-kalyan-yojana-e-kutir-gujarat

માનવ કલ્યાણ યોજના મળવા પાત્ર ટૂલકીટસના નામ

ક્રમ નં ટુલકીટ્સનું નામ
કડીયાકામ
સેન્ટીંગ કામ
વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
મોચી કામ
ભરત કામ
દરજી કામ
કુંભારી કામ
વિવિધ પ્રકારની ફેરી
પ્લ્બર
૧૦ બ્યુટી પાર્લર
૧૧ ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
૧ર ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
૧૩ સુથારી કામ
૧૪ ધોબી કામ
૧પ સાવરણી સુપડા બનાવનાર
૧૬ દુધ-દહીં વેચનાર
૧૭ માછલી વેચનાર
૧૮ પાપડ બનાવટ
૧૯ અથાણાં બનાવટ
ર૦ ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
૨૧ પંચર કીટ
૨૨ ફલોરમીલ
૨૩ મસાલા મીલ
૨૪ રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
૨૫ મોબાઇલ રીપેરીંગ
૨૬ પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
૨૭ હેર કટીંગ (વાળંદ કામ)

માનવ કલ્યાણ યોજના 2023 માટે જરૂરી દસ્તાવેજો

માનવ કલ્યાણ યોજના માટે અરજી કરવા માટે, અરજદાર પાસે નીચેના દસ્તાવેજો હોવા આવશ્યક છે:

  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસેંસ / લીઝ કરાર / ચૂંટણી કાર્ડ)
  • અરજદારના જાતી નો દાખલો
  • વાર્ષિક આવકનો દાખલો
  • અભ્યાસના પુરાવા
  • વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાના પુરાવા
  • બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
  • એકરારનામું

માનવ કલ્યાણ યોજના 2023 માટે કેવી રીતે અરજી કરવી

Manav Kalyan Yojana 2023 માટે અરજી કરવા માટે, નીચેના પગલાંઓ અનુસરો

  • Step 1 : સૌપ્રથમ તમારે સતાવાર વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
  • Step 2 : ત્યાર બાદ તમારે તે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. For New Individual Registration પર ક્લિક કરવાનું રહેશે. તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
  • Step 3 : રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારા ઇમેઇલ આઇડી પર id password આવી જશે અને પછી લોગીન કરવાનું રહેશે.
  • Step 4 : લોગીન થયા બાદ તમારે બધી વિગતો ભરવાની રહેશે.
  • Step 5 : બધી વિગતો ભર્યા બાદ તમારે ફોર્મ Submit કરવાનું રહેશે અને ત્યાર બાદ એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે.

માનવ કલ્યાણ યોજનાનું સ્ટેટ્સ કેવી રીતે ચેક કરવું?

  • સૌ પ્રથમ તમારે માનવ કલ્યાણ યોજનાની e-kutir.gujarat.gov.in મુલાકાત લેવાની રહેશે .
  • આ પછી તમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલશે.
  • હવે “Login to Portal”  પેજમાં આવીને UserId , Password અને Captcha Code નાખીને “Login” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હોમ પેજ પર, તમારે “યોર એપ્લિકેશન સ્ટેટસ” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે .
  • જે પછી તમારી સામે એક નવું પેજ ખુલશે.
  • તમારે આ પૃષ્ઠ પર પૂછાયેલા તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.
  • બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી, તમારે સબમિટ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે .
  • હવે તમારી સામે તમારું એપ્લિકેશન સ્ટેટસ પેજ ખુલશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

માનવ કલ્યાણ યોજના નોટિફિકેશન અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Offline) અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Online) અહીં ક્લિક કરો
સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટઆઉટ ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો
Manav Kalyan Yojana 2023 – ટુલકીટ્સ અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજનાનો 2023 ઠરાવ – તા: ૧૨-૧-૨૦૧૬ અહીં ક્લિક કરો

FAQ’s : માનવ કલ્યાણ યોજના 2023

Manav Kalyan Yojana 2023 નો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?

માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે e-kutir.gujarat.gov.in પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે

Manav Kalyan Yojana 2023 છેલ્લી તારીખ કઈ છે?

માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે અરજદારે 15/05/2022 સુધીમાં ઓનલાઇન ઈ કુટિર પોર્ટલ પર અરજી કરવાની રહેશે

માનવ કલ્યાણ યોજનાનો 2023 હેતુ શું છે?

માનવ કલ્યાણ યોજનાનો ઉદ્દેશ્ય આદિજાતિ બાબતોના મંત્રાલયની મદદથી ચીનમાં નિરાધાર મજૂરો અને નાના કામદારોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Manav Kalyan Yojana । માનવ કલ્યાણ યોજના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

 

About Author : Tushar Ahir
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Gujarati News is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment