Sankat Mochan Sahay Yojana | સંકટ મોચન સહાય યોજના

Are You Finding for Sankat Mochan Sahay Yojana। શું તમે સંકટ મોચન સહાય યોજના શોધી રહ્યા છો? અહીં તમને જણાવીશું રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના વિશે. સંકટ મોચન સહાય યોજના વિશેની માહિતી તેમજ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનું વ્યાજદર કેલ્ક્યુલેટર જણાવીશું.

ગરીબ સહાય યોજના જે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના જેને સંકટ મોચન યોજના, મરણોતર સહાય યોજના, મૃત્યુ સહાય યોજના, મરણ સહાય યોજના અથવા શ્રમયોગી અક્સ્માત મૃત્યુ સહાય યોજના હેઠળ, કુદરતી કારણો અથવા અકસ્માતને કારણે પરિવારના મુખ્ય કમાનારનું મૃત્યુ થાય તો, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના નો લાભ કુટુંબ ક્લ્યાન યોજના માટે મળવાપાત્ર થશે.

સંકટ મોચન સહાય યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

Sankat Mochan Sahay Yojana | સંકટ મોચન સહાય યોજના

✦ Table of Sankat Mochan Sahay Yojana। રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના

યોજનાનું નામ સંકટમોચન કુટુંબ સહાય યોજના
આ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે? ગુજરાત સરકાર દ્વારા
લાભાર્થીઓ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો
મળવાપાત્ર સહાય 20,000 રૂપિયા/-
અરજી કરવાનો પ્રકાર ઓફલાઈન
યોજનાની ઓફિસિયલ વેબસાઈટ https://sje.gujarat.gov.in/
યોજનાને અમલીકરણ તારીખ 15/08/1995

Sankat Mochan Sahay Yojana | સંકટ મોચન સહાય યોજના મા મળવાપાત્ર સહાય :

1. કુદરતી સંજોગોમાં મૃત્યુ થવાના કિસ્સામાં રૂ. 20,000 / –

2. અકસ્માતને કારણે મૃત્યુ થવાના કિસ્સામાં રૂ. 20,000 / –

કુટુંબ ઉપર કોઈ પણ આફત આવે ત્યારે તે પરિવારને સહાયરૂપ થઈ શકાય તે માટે વધુ રોકડ સહાય આપવાની જોગવાઈ આ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનામાં કરવામાં આવી છે. અગાઉ આ સંકટ મોચન યોજના હેઠળ રૂ. 10,000 / – ની સહાય આપવામાં આવતી હતી તે તા. 15-02-2014 ના ઠરાવથી રકમ વધારીને રૂ. 20,000 / – કરવામાં આવી છે.

Sankat Mochan Sahay Yojana | સંકટ મોચન સહાય યોજના મા લાગુ પડતા નિયમો :

1. આવા મૃત્યુના કિસ્સામાં મુખ્ય કમાનાર વ્યક્તિ (તે અથવા તેણી) ની ઉંમર 18 વર્ષથી ઉપર અને 70 વર્ષથી ઓછી હોવી જોઈએ.

2. અરજી મૃત્યુ પછી બે વર્ષની મર્યાદામાં નિયત ફોર્મમાં કરવાની રહેશે. આ મરણોતર સહાય યોજના હેઠળ સહાયની પાત્રતા માટે અરજદાર લાભાર્થી ભારત સરકારની ગાઈડલાઈન મુજબ BPL લાભાર્થી હોવા જોઈએ. અરજદાર ગ્રામ વિસ્તારમાં રહેતા હોય તો તેઓને ગામની પંચાયતમાં નગરપાલિકા કે મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો નગરપાજલકા કે મહાનગર પાલિકાની કચેરીમાં BPL લાભાર્થી તરીકે નોંધાયેલા હોવા જોઈએ.

3. અકસ્માત પામનાર વ્યક્તિનો લાગુ પડે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પોલીસ ફરિયાદ, પંચનામાની નકલ અરજી ફોર્મ સાથે જોડવાની રહેશે.
4. મૃતક પરિવારના વડા તરીકે માત્ર એક જ વ્યક્તિએ અરજદાર તરીકે અરજી કરવાની હોય છે. અને પરિવારના તમામ સભ્યોએ સંમતિ આપવી પડશે. આ સંકટ મોચન યોજના સહાય પરિવારના દરેક સભ્ય માટે અલગથી ઉપલબ્ધ નથી.
5. આ યોજના હેતુ માટે કુટુંબની વ્યાખ્યામાં પતિ-પત્ની, સગીર બાળકો, અપરિણિત પુત્રીઓ અને આ માતા પિતાનો સમાવેશ થાય છે.

Sankat Mochan Sahay Yojana | સંકટ મોચન સહાય યોજનાઅરજી ક્યાં કરશો?

➥ શહેરી વિસ્તાર માટે જે તે વિસ્તારના પ્રાંત કચેરીમાં અરજી કરવાની રહેશે.
➥  ગ્રામ પંચાયત વિસ્તાર માટે – આ યોજના હેઠળ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને અરજી કરવાની રહેશે.
➥ મહાનગર પાલિકા વિસ્તાર માટે – મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં કમિશનર યુ.સી.ડી. શાખામાં અરજી કરવાની રહેશે.
➥ આ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ સહાય મંજૂર કરવાની સત્તા ઉપરોક્ત અધિકારીને સોંપવામાં આવી છે અને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ફોર્મ તેમની ઓફિસમાંથી પણ ઉપલબ્ધ થશે.

Documents for Sankat Mochan Sahay Yojana। સંકટ મોચન સહાય યોજના

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ નોંધાયેલા (બી.પી.એલ.) લાભાર્થી લાભ મળે છે. જેમની ઉંમર 18 વર્ષથી વધુ હોય અને 60 વર્ષથી ઓછી હોય તેવા મુખ્ય કમાનાર સ્ત્રી/પુરુષનું અવસાન થાય તો આ યોજનાની સહાય મળવાપાત્ર થાય છે. સંકટ મોચન સહાય યોજના યોજનાનો લાભ લેવા માટે Required Document for Gujarat Sankat Mochan Sahay Yojana 2021 નીચે મુજબ આપેલા છે.

1. મુખ્ય કમાનાર (સ્ત્રી/પુરુષ) મરણ દાખલો

2. અરજદારનું (સ્ત્રી/પુરુષ)નું આધારકાર્ડ

3. રહેઠાણ સંબંધિત કોઈપણ એક પુરાવો (ચૂંટણીકાર્ડ/રેશનકાર્ડ વગેરે)

4. લાભાર્થીની બેંક એકાઉન્ટની પાસબુક

5. અરજદાર BPL લાભાર્થી હોવા અંગેનો દાખલો

6. કુંટુબના મુખ્ય કમાનાર વ્યકિતનો જન્મનો દાખલો/ઉંમર અંગેનો દાખલો

✦ સંકટ મોચન સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો

સંકટ મોચન સહાય યોજના માં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની લીસ્ટ નીચે મુજબ આપેલી છે:
  •  કુટુંબના મુખ્ય વ્યક્તિના મૃત્યુનું પ્રમાણપત્ર
  •  બીપીએલ કાર્ડ નું પ્રમાણપત્ર
  •  રેશનકાર્ડ
  •  ચૂંટણી કાર્ડ
  •  મૃત્યુ પામેલા વ્યક્તિનું જન્મ પ્રમાણપત્ર/  જન્મ તારીખ નો દાખલો
  •  જો મૃત્યુ પામેલ વ્યક્તિ ની પોલીસ ફરિયાદ થઇ હોય તો પોલીસ સ્ટેશન માટે ની જરૂરી જાણકારી

✦ સંકટ મોચન સહાય યોજના માટે અરજી પત્રક ક્યાંથી મળશે?

સંકટ મોચન સહાય યોજના ની અરજી કરવા માટેનું અરજી પુત્ર કે વિનામૂલ્યે નીચે મુજબ આપેલી કચેરી પરથી તમે પ્રાપ્ત કરી શકો.
  • જિલ્લા કલેક્ટર કચેરી.
  • પ્રાન્ત કચેરી.
  • તાલુકા મામલતદાર કચેરી તેમજ જન સેવા કેન્‍દ્ર.
  • ગ્રામ પંચાયત કેન્દ્રના V.E.C કો. ઓપરેટર પાસેથી  તમે Digital Gujarat online Portal પર જઈને તમે ઓનલાઇન અરજી કરી શકીએ છીએ.

✦ સંકટ મોચન સહાય યોજના ફોર્મ

આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત સરકારશ્રી દ્વારા નિયત નમૂનામાંં અરજી ફોર્મ તૈયાર કરેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ફોર્મનો ઉપયોગ કરી શકાય છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સંકટ મોચન સહાય યોજના। Sankat Mochan Sahay Yojana સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Table of Contents

About Author : Tushar Ahir
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Gujarati News is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment